કેરળ શિપિંગ અને ઇનલેન્ડ નેવિગેશન કોર્પોરેશનની પ્રથમ સૌર-સંચાલિત બોટ "સૂર્યાંશું" શરૂ કરવામાં આવી.

  • આ જહાજ દ્વારા કોચી બેકવોટર્સમાં તેની પ્રથમ સફર કરવામાં આવી.
  • કેરળમાં આ સૌર ઉર્જાથી ચાલતું પ્રથમ પ્રવાસી જહાજ છે અને રાજ્યમાં તેના પ્રકારનું સૌથી મોટું છે.
  • ₹3.95-કરોડના ખર્ચે તૈયાર થયેલ આ જહાજ 100 મુસાફરોને લઈ જઈ શકે છે તે શ્રીલંકાના એક યાર્ડમાં બનાવવામાં આવ્યું છે જેની સુરક્ષા અને સંબંધિત સુવિધાઓ ભારતીય રજિસ્ટર ઑફ શિપિંગ (IRS) દ્વારા પ્રમાણિત કરવામાં આવી છે.
  • આ જહાજમાં જરૂરી પડે તો બેકઅપ આપવા માટે તેમાં ડીઝલ જનરેટર છે.  
  • તેના નીચલા ડેકમાં વાતાનુકૂલિત કોન્ફરન્સ રૂમ-કમ-ડીજે ફ્લોર અને ઉપરના ડેકમાં કાફેટેરિયા-કમ-ડાઇનિંગ એરિયા છે.  
  • અપંગ અને વૃદ્ધ લોકોને ઉપલા ડેક સુધી પહોંચવા અને પાછા આવવા માટે મદદ કરવા માટે એક લિફ્ટની સુવિધા પણ રાખવામાં આવી છે.
  • જહાજમાં વ્યક્તિ દીઠ મુસાફરીની 799 રૂપિયાની ટીકીટ રાખવામાં આવી છે જેમાં તે મરીન ડ્રાઈવ-કદમાકુડી કોરિડોરમાં અને પછીથી 10 કિમી સુધી દરિયામાં જશે.  
  • આ મુસાફરી વચ્ચે, મહેમાનો ટાપુ પર ઉતરી શકશે, બપોરનું ભોજન લઈ શકશે અને ફિશિંગ અને બોટિંગ જેવી પ્રવૃત્તિઓમાં ભાગ લઈ શકશે.  
  • આ સિવાય 999 રૂપિયાના સાત-કલાકના પેકેજમાં, તેઓ મત્સ્યાફેડના નઝરક્કલ ખાતેના ફિશ ફાર્મની મુલાકાત પણ લઈ શકશે.
KSINC launches India’s first solar-powered tourist boat

Post a Comment

Previous Post Next Post