- આગામી તા. 14 થી 30 એપ્રિલ સુધી વિશ્વભરમાં લાયરિડસ ઉલ્કાવર્ષાનો અદ્દભૂત નજારો જોવા મળશે.
- પૃથ્વી પર રોજની ૪૦ ટન જેટલી ઉલ્કાઓ પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશે છે. સૂર્યપ્રકાશ હોય એટલે કે દિવસ હોય ત્યારે ઉલ્કા પડે છે તે જોવા મળતી નથી.
- આ ઉલ્કાવર્ષા પાછળ ધૂમકેતુઓ કારણભૂત છે. એવા ધૂમકેતુઓ છે કે જે પોતાના સૂર્ય ફરતેના ભ્રમણ દરમ્યાન પૃથ્વીની ભ્રમણકક્ષાને કાપે છે.
- આ ધૂમકેતુઓનું સતત વિસર્જન થતું રહેતું હોય છે જે ધૂમકેતુ પાછળ વિસર્જીત પદાર્થોનો શેરડો છોડતો જાય છે.
- વાતાવરણમાં રહેલ વાયુઓ સાથે ઘર્ષણના કારણે આ ટુકડાઓ સળગી ઉઠે છે અને તેજ લીસોટા, અગ્નિ સ્વરૂપે અવકાશમાં જોવા મળે છે.