- આ સ્મારક તે સ્થાન પર બનાવવામાં આવ્યું છે જ્યાં વર્ષ 2011માં 2 એપ્રિલના રોજ ભારત અને શ્રીલંકા વર્લ્ડકપ ફાઇનલ મેચમાં ભારતીય કેપ્ટન એમ. એસ.ધોની દ્વારા આઇકોનિક મેચ-વિનિંગ સિક્સ ફટકારવામાં આવી હતી.
- વર્ષ 2011માં ભારત 28 વર્ષ બાદ વર્લ્ડકપ જીત્યુ હતું આથી તેની 12મી વર્ષગાંઠ નિમિત્તે તથા ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન મહેન્દ્રસિંઘ ધોનીને સન્માન આપવા આ નિર્ણય લેવામાં આવ્યો છે.
- આ માટે મુંબઈ ક્રિકેટ એસોસિયેશન (MCA) દ્વારા પવેલિયનમાં જ્યાં સિકસનો બોલ પડ્યો હતો તે સ્ટેન્ડમાંથી 5 ખુરશીઓને આરક્ષિત કરવામાં આવી છે.