- ભારતીય લેખક અને સ્વાતંત્ર્ય સેનાની સુરેશ વૈદ્ય અને અંગ્રેજી શાસ્ત્રીય ગાયક મેડજ ફ્રાન્સિસના ઘરે લંડનમાં જન્મેલ જલબાલા વૈદ્યએ પત્રકાર તરીકેની કારકિર્દીની શરૂઆત કરી હતી અને દિલ્હીમાં વિવિધ રાષ્ટ્રીય અખબારો અને સામયિકો માટે કામ કર્યું હતું.
- તેઓની સંગીત નાટ્ય અકાદમીના ટાગોર પુરસ્કાર, દિલ્હી નાટ્ય સંઘ પુરસ્કાર, આંધ્રપ્રદેશ નાટ્ય અકાદમી પુરસ્કાર, યુએસએના બાલ્ટીમોર શહેરની માનદ નાગરિકતા અને પર્ફોર્મિંગ આર્ટ્સમાં તેમના યોગદાન બદલ ફેબ્રુઆરીમાં દિલ્હી સરકારના વરિષ્ઠ સન્માનથી સન્માનિત કરવામાં આવ્યા છે.
- તેઓની નાટ્ય કારકિર્દીની શરૂઆત વર્ષ 1968માં કવિતાઓ અને વાર્તાઓના નાટ્ય સંગ્રહ 'ફુલ સર્કલ'થી થઈ હતી.
- તેઓએ નવી દિલ્હીમાં અક્ષરા નેશનલ ક્લાસિકલ થિયેટરની સ્થાપના કરી હતી.
- તેઓએ અક્ષરા થિયેટરની મોટાભાગની ટેલિવિઝન ફિલ્મોનું નિર્માણ, પ્રદર્શનમાં ફાળો આપ્યો છે જેમાં 'ઈન્ડિયા અલાઈવ', 'ધ કાશ્મીર સ્ટોરી', 'ધ સૂફી વે' વગેરેનો સમાવેશ થાય છે.
- તેઓએ 'બી', 'ધીસ ઈઝ ફૂલ', 'ધેટ ઈઝ ફૂલ', 'લાઈફ ઈઝ બટ અ ડ્રીમ' અને 'અક્ષરા એક્ટિંગ મેથડ' પાંચ પુસ્તકો પણ લખ્યાં છે.