- The Jan Vishwas Amendment of provision Bill 2022 બિલ બિઝનેસ કરવામાં સરળતા લાવવા માટે લાવવામાં આવેલ છે.
- બિલમાં 42 કાયદાઓમાં 183 જોગવાઈઓમાં સુધારો કરીને નાની ગેરરીતિઓને અપરાધની શ્રેણીમાંથી દૂર કરવાની જોગવાઈ છે.
- બિલ હેઠળ, કેટલાક કાયદાઓમાં, જેલની સજાને દૂર કરીને નાણાકીય દંડ લાદીને સજામાંથી મુક્ત કરવાની જોગવાઈ ઉમેરવામાં આવી છે.
- સરકાર દ્વારા 22 ડિસેમ્બર, 2022ના રોજ લોકસભામાં જન વિશ્વાસ બિલ, 2022 રજૂ કર્યા બાદ તેને સંયુક્ત સંસદીય સમિતિ (જેપીસી)ને મોકલવામાં આવ્યું હતું.
- સંસદીય સમિતિના સૂચવેલ સુધારા બાદ આ અહેવાલને આ વર્ષે માર્ચમાં અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું હતું.