- આ અગાઉ 2017માં પણ મહાન બેટ્સમેન સચિન તેંડુલકરની સિગ્નેચર 10 નંબર જર્સી પણ કાયમ માટે નિવૃત્ત કરવામાં આવી હતી.
- આ નિર્ણય બાદ એમએસ ધોનીની આઈકોનિક નંબર 7 ની જર્સી હવે કોઈ અન્ય ભારતીય ખેલાડી માટે ઉપલબ્ધ રહેશે નહીં.
- આંતરરાષ્ટ્રીય ક્રિકેટર તરીકે ધોનીની નિવૃત્તિના ત્રણ વર્ષ પછી, રમતમાં તેના યોગદાનને શ્રદ્ધાંજલિ તરીકે ધોની દ્વારા પહેરવામાં આવતા નંબરને 'નિવૃત્ત' કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
- ધોનીની કેપ્ટન્સીમાં ટીમ ઈન્ડિયાએ 2007માં T20 વર્લ્ડ કપ, 2011માં ODI વર્લ્ડ કપ અને 2013માં ICC ચેમ્પિયન્સ ટ્રોફી જીતી હતી.
- મહેન્દ્ર સિંહ ધોનીએ 15 ઓગસ્ટ 2020ના રોજ આંતરરાષ્ટ્રીય ફોર્મેટમાંથી નિવૃત્તિ લેવાનો નિર્ણય લીધો હતો.
- તેણે 2014માં જ ટેસ્ટ ફોર્મેટમાંથી સંન્યાસ લઈ લીધો હતો.
- ICCના નિયમ પ્રમાણે, ICC ખેલાડીઓને 1 થી 100 વચ્ચેનો કોઈપણ નંબર પસંદ કરવાની મંજૂરી આપે છે પરંતુ ભારતમાં વિકલ્પો મર્યાદિત છે. હાલમાં, ટીમ ઈન્ડિયાના નિયમિત ખેલાડીઓ અને દાવેદારો માટે લગભગ 60 નંબરો રોકાયેલ છે.