જમ્મુ અને કાશ્મીરમાં આનંદ મેરેજ એક્ટ લાગુ કરવામાં આવ્યો.

  • જમ્મુ અને કાશ્મીર પ્રશાસન દ્વારા આનંદ મેરેજ એક્ટ હેઠળ શીખ લગ્નની નોંધણી માટે વિગતવાર નિયમો રજૂ કરવામાં આવ્યા.
  • આ અધિનિયમ શીખ લગ્નની વિધિઓને વૈધાનિક માન્યતા પ્રદાન કરે છે, જે શીખ યુગલોને હિંદુ મેરેજ એક્ટને બદલે ચોક્કસ નિયમો હેઠળ તેમના લગ્નની નોંધણી કરવાની મંજૂરી આપે છે.
  • આ એક્ટ મુજબ શીખ યુગલોને તેમના લગ્ન પછી ત્રણ મહિનાની અંદર નોંધણી માટે અરજી કરવાની રહેશે તેમાં સમયમર્યાદાની સમાપ્તિ પછી તેઓએ લેટ ફી ભરવાની રહેશે. 
  • વર્ષ 1909માં બ્રિટિશ ઈમ્પિરિયલ લેજિસ્લેટિવ કાઉન્સિલ દ્વારા શીખ લગ્ન સમારોહ, આનંદ કારજને માન્યતા આપતો કાયદો ઘડવામાં આવ્યો ત્યારથી આનંદ મેરેજ એક્ટની શરૂઆત થઈ હતી.
  • આ અધિનિયમનો પ્રાથમિક ઉદ્દેશ્ય શીખ સમુદાયના રિવાજો અને પ્રથાઓને સ્વીકારવા અને તેનો આદર કરવાનો હતો.
  • ઉલ્લેખનીય છે કે વર્ષ 2012 માં સંસદે આનંદ વિવાહ (સુધારા) બિલ પસાર કર્યું હતું, જે શીખ પરંપરાગત લગ્નોને કાનૂની માન્યતા આપતું હતું.
Anand Marriage Act was implemented in Jammu and Kashmir.

Post a Comment

Previous Post Next Post