ઇંગ્લેન્ડમાં પ્રથમ અને બીજા વિશ્વયુદ્ધમાં બહાદુરીપૂર્વક લડેલા ભારતીય સૈનિકોને સન્માનિત કરવામાં આવશે.

  • ઇંગ્લેન્ડમાં Brighton and Hove City Council દ્વારા પ્રથમ અને બીજા વિશ્વયુદ્ધમાં બહાદુરીપૂર્વક લડેલા બહાદુર ભારતીય સૈનિકોને સન્માનિત કરવામાં આવશે.
  • આ માટે આગામી ઓક્ટોબરમાં શહેરના ઈન્ડિયા ગેટ સ્મારક ખાતે વાર્ષિક કાર્યક્રમ યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો.
  • થોમસ ટાયરવિટ દ્વારા ડિઝાઇન કરાયેલ અને ગુજરાતી આર્કિટેક્ચરથી પ્રભાવિત બ્રિટનમાં ઇન્ડિયા ગેટ ભારતીય સૈનિકો દ્વારા કરવામાં આવેલા બલિદાનના પુરાવા તરીકે નિર્માણ કરવામાં આવ્યો છે.
  • 26 ઓક્ટોબર 1921ના રોજ પટિયાલાના મહારાજા ભૂપેન્દર સિંઘ દ્વારા અનાવરણ કરવામાં આવ્યું હતું.
  • પ્રથમ વિશ્વ યુદ્ધ (1914-1918) દરમિયાન 1.3 મિલિયન ભારતીય સૈનિકોએ બ્રિટિશ સામ્રાજ્ય માટે લડ્યા, જેમાં 74,000 થી વધુ લોકોએ અંતિમ બલિદાન આપ્યું હતું. 
  • તેઓએ સમગ્ર આફ્રિકાની લડાઈઓમાં જર્મન ટાંકી વિભાગો સામે તેમજ મ્યાનમાર (તત્કાલીન બર્મા)માં જાપાની દળો સામેની લડાઈમાં નિર્ણાયક ભૂમિકા ભજવી હતી.
  • બ્રિટન ઈન્ડિયા ગેટ સિવાય અન્ય ઘણા યુદ્ધ સ્મારકોનું ઘર છે જે ભારતીય સૈનિકોનું સન્માન કરે છે જેમણે અંતિમ બલિદાન આપ્યું હતું. 
  • પેચમ નજીક છત્રી સ્મારક 53 હિંદુ અને શીખ સૈનિકોના અંતિમ સંસ્કાર સ્થળ તરીકે વિકસિત કરવામાં આવ્યું છે જેમાં અંગ્રેજી, પંજાબી, ઉર્દૂ અને હિન્દીમાં શિલાલેખ છે. 
  • નવી દિલ્હીમાં આવેલ India Gate જે મૂળરૂપે 'All India War Memorial' તરીકે ઓળખાય છે, તે Imperial War Graves Commission ના પ્રથમ વિશ્વ યુદ્ધ દરમિયાન અંગ્રેજો માટે લડતા મૃત્યુ પામેલા લોકોને સન્માનિત કરવા માટે બનાવવામાં આવ્યો હતો.
  • Edward Lutyens દ્વારા ડિઝાઇન કરાયેલ 42-મીટર ઊંચા સ્મારકમાં 13,516 ભારતીય અને બ્રિટિશ સૈનિકોના નામ છે જે વર્ષ 1919ના અફઘાન યુદ્ધમાં નોર્થવેસ્ટર્ન ફ્રન્ટિયર પર માર્યા ગયા હતા. 
  • ડિસેમ્બર 1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધમાં પોતાનું જીવન બલિદાન આપનાર સૈનિકોના સન્માનમાં અમર જવાન જ્યોતિ પછીથી ઉમેરવામાં આવી હતી જે ભારતીય સૈનિકોની યાદમાં દિવસ-રાત પ્રજ્વલિત રાખવામાં આવે છે. ભારતીય સૈનિકોના સન્માનમાં બ્રિટનમાં વાર્ષિક મલ્ટી-ફેઇથ ઇવેન્ટ યોજવામાં આવે છે.
UK's India Gate to commemorate role of Indian soldiers from World Wars

Post a Comment

Previous Post Next Post