ચારધામ યાત્રા માટે ચાર્ટર્ડ હેલિકોપ્ટર લઈ જઈ શકાશે.

  • ઉત્તરાખંડ સિવિલ એવિએશન ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા ચારધામ માટે પ્રથમ વખત ચાર્ટર્ડ હેલિકોપ્ટર સેવા શરૂ કરવામાં આવી જેમાં સાડા ત્રણ લાખ રૂપિયામાં 4 લોકો એક ધામની મુલાકાત લઈ શકશે.
  • ચાર ધામ માટે ચાર્ટર્ડ હેલિકોપ્ટર લેવાનું ભાડું 1.95 લાખ રૂપિયા પ્રતિ વ્યક્તિ છે.
  • ભાડામાં રાઉન્ડ ટ્રીપ, રોકાણ, ભોજન, હેલિકોપ્ટર પણ સામેલ કરવામાં આવશે.
  • એક જ દિવસમાં રિટર્ન રેટ 1.05 લાખ રૂપિયા હશે.
  • સામાન્ય હેલિકોપ્ટર સેવાના ભાડામાં 5%નો વધારો થયો છે.
  • ગૌરીકુંડ પહેલા 18 કિમી દૂર ફાટાથી કેદારનાથ માટે વ્યક્તિ દીઠ વન-વે ભાડું રૂ. 2,886 છે.
  • અગાઉ હેલિકોપ્ટર સેવાનું બુકિંગ 15 દિવસના સ્લોટમાં થતું હતું, આ વખતે એક મહિનાનો સ્લોટ હશે.
  • 10મી મેથી 20મી જૂન અને 15મી સપ્ટેમ્બરથી 31મી ઓક્ટોબર સુધી અને બુકિંગ 20મી એપ્રિલથી IRCTC હેલીયાત્રાની વેબસાઈટ પરથી કરવામાં આવશે.
  • કેદારનાથના સમગ્ર ટ્રેક પર 4G અને 5G નેટવર્ક ઉપલબ્ધ હશે, જેના માટે 4 ટાવર લગાવવામાં આવ્યા છે.
Chartered helicopter will be available for the first time in Chardham Yatra

Post a Comment

Previous Post Next Post