- મોદી એન્ટરપ્રાઇઝિસના ચેરપર્સન અને મેનેજિંગ ડિરેક્ટર - KK મોદી ગ્રૂપના ડૉ. બીના મોદીને ભારતના આદરણીય વાઇસ પ્રેસિડેન્ટ જગદીપ ધનકર દ્વારા 'કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી (Corporate Social Responsibility (CSR))'ના ઉદ્દેશ્યમાં તેમના ઉત્કૃષ્ટ યોગદાન બદલ સન્માનિત કરવામાં આવ્યા હતા.
- ડૉ. મોદી સમુદાયોના ઉત્થાન અને ટકાઉ વિકાસને ઉત્તેજન આપવાના હેતુથી વિવિધ કોર્પોરેટ સામાજિક જવાબદારી પહેલોમાં સક્રિયપણે જોડાયેલા છે.
- વર્ષ 2015 થી, તે આંધ્રપ્રદેશમાં હાંસિયામાં ધકેલાઈ ગયેલા ખેડૂત સમુદાયને બહુપક્ષીય હસ્તક્ષેપો દ્વારા સમર્થન આપી રહયા છે.
- આ ઉપરાંત તેઓની પ્રવૃત્તિઓમાં આરોગ્યસંભાળની જોગવાઈઓ, RO વોટર પ્લાન્ટ્સ દ્વારા પીવાના શુદ્ધ પાણીની પહોંચ, વ્યાપક વાવેતર અને જૈવવિવિધતા ઉદ્યાનો દ્વારા પર્યાવરણીય સંતુલન અને ટકાઉ કૃષિ પદ્ધતિઓ પર વધેલી તાલીમ અને શિક્ષણ દ્વારા ખેડૂતોના સશક્તિકરણનો સમાવેશ થાય છે.
- વધુમાં તેઓ દ્વારા પ્રોજેક્ટ ખુશી તૈયાર કરવામાં આવ્યો હતો જેનો હેતુ ગ્રામીણ કન્યાઓને તેમના શિક્ષણ અથવા વ્યાવસાયિક આકાંક્ષાઓને સ્પોન્સર કરીને દેશભરમાં સશક્તિકરણ કરવાનો છે.