- તેઓ સાતત્યપૂર્ણ વિકાસ (Sustainable Development) ના આગ્રહી હતા.
- વીજળીની માંગને પહોંચી વળવા માટે તેઓએ કુદરતી જળસંસાધનોનો ઉપયોગ કરવાની તરફેણ કરી હતી.
- 26 માર્ચ, 1974માં તેઓએ વૃક્ષો કાપવાના વિરોધમાં ચિપકો આંદોલન શરૂ કર્યું હતું.
- આ આંદોલન ઉત્તરાખંડમાં (તે વખતે ઉત્તર પ્રદેશનો ભાગ) ખાતે ખેડૂતો દ્વારા વૃક્ષો કાપવાના વિરોધમાં શરૂ કરાયું હતું.
- આ આંદોલનમાં તેઓની સાથે કામરેડ ગોવિંદસિંહ રાવત, ચંડીપ્રસાદ ભટ્ટ તેમજ શ્રીમતી ગૌરાદેવી પણ હતા.
- 1987માં આ આંદોલનને Right Livelihood Award અપાયો હતો.
- સુંદરલાલ બહુગુણાને 1981માં પદ્મશ્રી પુરસ્કાર અપાયો હતો જેનો તેમણે વિરોધ કરી સ્વીકાર્યો ન હતો.
- 2009માં તેઓને પદ્મવિભૂષણ પુરસ્કાર એનાયત કરાયો હતો.