- સંશોધકોના મત અનુસાર આ ભોયરા દ્વારા નાઝીઓએ લૂંટેલા કરોડોના એમ્બર રુમના ખજાના રહસ્ય પરથી પરદો ઊંચકાશે.
- આ ભોંયરામા જવા માટેના પાંચ રસ્તા છે તેમજ તેમા છુપાવવા માટે ઉપર ઘણી જગ્યાઓ છે જેને તપાસવા માટે ઘણોબધો કાટમાળ હજુ દૂર કરવાનો બાકી છે.
- દ્વિતીય વિશ્વયુદ્ધના સમયે નાઝીઓએ મોટાપાયે હત્યાઓ કરવાની સાથે લૂંટ પણ કરી હતી અને રશિયાના સેન્ટ પિટ્સબર્ગની નજીક કેથેરિન પેલેસમાં સોનુ અને રત્ન આભૂષણો ધરાવતો એક રૂમ તૈયાર કરાયો હતો.
- આ રુમની દિવાલો પર સોનુ જડવામાં આવ્યું હતું અને તેના પર નકશીકામ કરાયું હતું.
