- આ ત્રણ બિલમાં ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય અધિનિયમ (લવ જેહાદ), ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ અને અશાંત ધારાનો સમાવેશ થાય છે.
- ત્રણેય બિલને ગુજરાત વિધાનસભા દ્વારા પહેલાથી જ પસાર કરી દેવાયા હતા.
- આ ત્રણેય બિલને રાજ્યપાલ આચાર્ય દેવવ્રત દ્વારા પણ મંજૂરી મળી ગઇ હોવાથી તેનો અમલ શરૂ કરાશે.
- ધર્મ સ્વાતંત્ર્ય અધિનિયમ હેઠળ 5 વર્ષ સુધીની જેલ અને રુ. 2 લાખ સુધીના દંડની જોગવાઈ છે જેમાં સગીર સાથેના ગુનામા 7 વર્ષ સુધીની જેલ તેમજ રુ. 3 લાખના દંડની જોગવાઇ છે.