- વડા પ્રધાનની અધ્યતામાં યોજાયેલ કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં Deposit Insurance and Credit Guarantee Corporation (DICGC) સુધારા બીલ, 2021ને મંજૂર કરાયુ છે.
- આ સુધારા મુજબ જો બેંક ફડચામાં જાય તો 5 લાખ સુધીની રકમ 90 દિવસમાં મળી જશે. જેના માટે બેંકે રૂ. 100એ 12 પૈસા પ્રિમિયમ રૂપે ભરવા પડશે. જે અગાઉ રૂ. 10 પૈસા હતા.
- આ સુધારો કોમર્શિયલ, સહકારી, ગ્રામીણ તેમજ ભારતમાં કાર્યરત વિદેશી બેંકના બચત, ચાલુ અને જમા ખાતા સહિત તમામને લાગુ પડશે.
- Reserve Bank of India (RBI) ના મતાનુસાર ભારતમાં 98.1% ખાતાઓ DICGC થકી સુરક્ષિત છે.