- થોડા સમય પહેલા જ ફેબ્રુઆરી, 2021માં મ્યાનમારની સેનાએ આંગ સાંગ સૂકીનું નેતૃત્વ ધરાવતી લોકતાંત્રિક સરકારને હટાવી સૈન્ય શાસન લાગૂ કર્યું હતું.
- આ ઘટના બાદ સૈનાના વડા મિન આંગ હલિંગે પોતાને જ મ્યાનમારના પ્રધાનમંત્રી ઘોષિત કર્યા છે.
- મ્યાનમારમાં આજથી જ લોકતાંત્રિક સરકારના વડા આંગ સાંગ સૂ કી પર કોર્ટની ટ્રાયલ શરુ થનાર છે જેમાં તેણીને અનેક મામલાઓમાં ફસાવીને રાજનીતિથી દૂર કરવાના પ્રયાસ થઇ રહ્યા છે.
- પોતાને પ્રધાનમંત્રી ઘોષિત કર્યા બાદ મિન આંગ હલિને વર્ષ 2023 સુધીમાં મ્યાનમારમાં ચુંટણી કરાવવાનું વચન આપ્યું છે.