WHO દ્વારા 16 વર્ષ બાદ એર ક્વૉલિટી ગાઇડલાઇનમાં સુધારો કરવામાં આવ્યો.

  • વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (World Health Organization - WHO) દ્વારા વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન દ્વારા વર્ષ 2005 બાદ  એર ક્વૉલિટી ગાઇડલાઇનમાં સુધારો કરવામાં આવ્યો છે. 
  • નવી ગાઇડલાઇન મુજબ 15 માઇક્રોગ્રામથી વધુના કન્સ્ટ્રેશનને સુરક્ષિત નથી મનાયું, જે અગાઉ 25 માઇક્રોગ્રામ પ્રતિ ક્યુબિક મીટર PM 2.5 ને સુરક્ષિત માનવામાં આવતું હતું. 
  • નવી ગાઇડલાઇન મુજબ PM10ના માપદંડને પણ 50 માઇક્રોગ્રામથી ઘટાડીને 45 માઇક્રોગ્રામ કરવામાં આવ્યું છે. 
  • વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન દ્વારા વાયુ પ્રદૂષણ બાબતે જણાવાયું છે કે સમગ્ર વિશ્વમાં દર વર્ષે 70 લાખ લોકો વાયુ પ્રદૂષણને કારણે મૃત્યું પામે છે તેમજ વિશ્વના 90% લોકો પ્રદૂષિત હવા શ્વાસમાં લે છે.
WHO

Post a Comment

Previous Post Next Post