- આવુ કરવાનો ઉદેશ્ય ગંગા નદીની સ્વચ્છતા માટે બાળકોમાં જાગૃતતા ફેલાવવાનો છે.
- આ જાહેરાત જળ શક્તિ મંત્રાલય દ્વારા કરવામાં આવી છે જેમાં નમામિ ગંગે કાર્યક્રમના શુભંકર (Mascot) તરીકે ભારતીય કોમિક પુસ્તકના પાત્ર ચાચા ચૌધરીની પસંદગી કરવામાં આવી છે.
- આ નિર્ણય હેઠળ ચાચા ચૌધરીથી સંબંધિત એક એનિમેટેડ ફિલ્મ પણ બનાવાશે.
- કેન્દ્ર સરકાર દ્વારા 13 મે, 2015ના રોજ ગંગા અને તેની સહાયક નદીઓના સંરક્ષણ માટે 'નમાનિ ગંગે' પરિયોજનાની જાહેરાત કરવામાં આવી હતી.
- ચાચા ચૌધરી પાત્રનું સર્જન કાર્ટૂનિસ્ટ પ્રાણ કુમાર શર્માએ કર્યું હતું જેનો સર્વપ્રથમ ઉપયોગ 1971માં હિન્દી મેગેઝિન લોટપોટ માટે કરાયો હતો.