- આ નિર્ણય બ્રિટન દ્વારા ભારતની વેક્સિનને માન્યતા નહી આપવાના બદલામાં લેવાયો છે.
- ભારત સરકારના નવા નિયમ મુજબ 4 ઑક્ટોબરથી બ્રિટનથી ભારત આવતા પ્રવાસીઓએ કોરોના રસીના બન્ને ડોઝ લીધા હોવા છતા પણ 10 દિવસ સુધી ક્વૉરોન્ટાઇન રહેવું પડશે તેમજ RT-PCR ટેસ્ટ પણ કરાવવો પડશે.
- થોડા દિવસ પહેલા જ બ્રિટન દ્વારા ભારતની રસીને માન્યતા પ્રાપ્ત યાદીમાંથી હટાવાઇ હતી જેના માટે ભારતના વિદેશ મંત્રી દ્વારા બ્રિટનને અપીલ કરવામાં આવી હતી જેને બ્રિટને ધ્યાને ન લીધી હતી અને અંતે ભારતે આ નિર્ણય લીધો છે.