- આ યુદ્ધ અભ્યાસ ભારત અને શ્રીલંકા વચ્ચેના યુદ્ધ અભ્યાસ 'મિત્ર શક્તિ' ની આઠમી આવૃતિનો ભાગ છે જેનું આયોજન શ્રીલંકાના અમ્પારા ખાતે આવેલ કોમ્બેટ ટ્રેઇનિંગ સ્કૂલ ખાતે થશે.
- આ અભ્યાસનો ઉદેશ્ય બન્ને દેશની સેનાઓ વચ્ચેના સંબંધને વધારવાનો તેમજ આતંકવાદ વિરોધી અભિયાનોમાં અપનાવવામાં આવતી પ્રક્રિયાઓને સમજવાનો છે.
- ભારત આ અભ્યાસમાં 120 જવાનોને રવાના કરશે.
- ઉલ્લેખનીય છે કે શ્રીલંકા કોલંબો બંદર પર East Container Terminal (ECT) વિકસિત કરવાની સમજૂતીમાંથી પાછળ ખસી ગયું છે તેમજ તેણે અડાણી ગ્રુપ સાથે શ્રીલંકાએ 700 મિલિયન ડૉલરનો કરાર કર્યો છે.