- સરકાર દ્વારા ચૂંટણીપંચની ભલામણ મુજબ આ સુધારાઓ કરવાની જાહેરાત કરી છે જેમાં મતદાર યાદીને મજબૂત બનાવવા, મતદાન પ્રક્રિયાને વધુ સારી બનાવવા, ચૂંટણીપંચને વધુ સત્તા આપવા તેમજ ડુપ્લિકેટ નામોને દૂર કરવા સહિતના સુધારાઓનો સમાવેશ થાય છે.
- આ જાહેરાત મુજબ કેન્દ્ર ચૂંટણી કાર્ડ અને આધાર કાર્ડને લિંક કરશે.
- સુપ્રીમ કોર્ટના ગુપ્તતા અંગેના હકના ચૂકાદાને ધ્યાને રાખીને આ પ્રક્રિયા સ્વૈચ્છિક બનાવાશે.
- આ માટે ચૂંટણીપંચ દ્વારા હાલ પાયલટ પ્રોજેક્ટ પણ ચલાવાઇ રહ્યો છે જેના ભાગ રુપે જાન્યુઆરી, 2022થી 18 વર્ષના પ્રથમ વખતના મતદાતાઓને એક વર્ષમાં ચાર વખત નોંધણી કરવાની તક પણ અપાશે, જે હાલ માત્ર એક વાર જ તક મળે છે.