- કર્ણાટક વિધાનસભાએ ધર્માંતરણ વિરોધી બિલ 'Karnataka Protection of Right to Freedom of Religion Bill, 2021' બિલને મંજૂરી અપાઇ છે.
- આ બિલનો ડ્રાફ્ટ વર્ષ 2013માં સિદ્ધારમૈયાના શાસન દરમિયાન તૈયાર થયો હતો જેમાં થોડા ફેરફાર કર્યા બાદ તેને મંજૂર કરાયો છે.
- આ બિલ ખોટી રીતે, જબરજસ્તી, પ્રલોભન આપીને અથવા કપટપૂર્ણ રીતે એક ધર્મમાંથી બીજા ધર્મમાં ગેરકાનૂની રુપે થતા ધર્માંતરણ પર રોક લગાવવાની જોગવાઇ ધરાવે છે.
- આ બિલ મુજબ જો કોઇ ગુનેગાર સાબિત થાય તો રુ. 25,000 દંડ તેમજ ત્રણ થી પાંચ વર્ષની જેલ અથવા બન્નેની જોગવાઇ છે.