- ભારતમાં 25 જાન્યુઆરીથી સરોગસી કાયદો અમલી બનશે જેના માટે સરોગસી રેગ્યુલેશન એક્ટ બનાવાયો હતો.
- આ કાયદા મુજબ હવેથી મહિલા પોતાના જીવનકાળમાં એક જ વાર સરોગેટ મધર બની શકશે.
- પરિણિત મહિલા હોય તેવા કિસ્સામાં જો તેને બાળકો હોય તે જ કૂખ એક વાર ભાડે આપી શકાશે જેના માટે તે કોઇ રુપિયા નહી લઇ શકે.
- આવી માતાનો 36 મહિનાનો વીમો લેવો પણ ફરજિયાત રહેશે.
- જો કોઇ મહિલા આ નિયમનો ભંગ કરશે તો તેને 10 લાખનો દંડ અને 10 વર્ષની સજાની આ કાયદામાં જોગવાઇ છે.
- આ કાયદા હેઠળ સરોગસી ક્લિનિકનું રજિસ્ટ્રેશન પણ ફરજિયાત બનાવાયું છે.