- હાલની લોકસભાના આઠમાં સત્રની શરુઆત 31 જાન્યુઆરી અને 1 ફેબ્રુઆરીથી શરુ થનાર છે જેની શરુઆતમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનું અભિભાષણ રહેશે.
- લોકસભામાં આ વર્ષના બજેટ સત્રમાં પહેલા બે દિવસ કોઇ શૂન્ય કાળ (Zero Hour) નહી હોય એટલે કે 31 જાન્યુઆરી અને 1 ફેબ્રુઆરીના રોજ શૂન્યકાળ સ્થગિત રહેશે.
- આવુ કરવાનું કારણ રાષ્ટ્રપતિનું અભિભાષણ અને સામાન્ય બજેટની પ્રસ્તુતિ છે.
- શૂન્યકાળમાં કાર્યવાહી દરમિયાન પ્રશ્નો પુછવામાં આવે છે.
- લોકસભામાં કાર્યવાહીનો પ્રથમ એક કલાક 'પ્રશ્નકાળ' હોય છે જેના પછીના સમયને શૂન્યકાળ કહે છે.
- રાજ્યસભામાં સદનની કાર્યવાહી શૂન્યકાળથી શરુ થાય છે અને ત્યારબાદ પ્રશ્નકાળ હોય છે.
- લોકસભામાં શૂન્યકાળ ત્યા સુધી ખતમ નથી થતો જ્યા સુધી લોકસભાના તે દિવસનો એજન્ડા ખતમ ન થાય.