- વડાપ્રધાન મોદી પોતાના રેડિયો કાર્યક્રમ 'મન કી બાત' ની 85મી આવૃતિમાં ગણતંત્ર દિવસની શરુઆત 23મી જાન્યુઆરી (નેતાજી સુભાષચંદ્ર બોઝ જન્મજયંતિ) થી શરુ કરી 30 જાન્યુઆરી (ગાંધી પૂણ્યતિથિ) સુધી ચાલશે તેની વાત કરી હતી.
- આ સિવાય ઇન્ડિયા ગેટ પાસે અમર જવાન જ્યોતિ અને નેશનલ વૉર મેમોરિયલને એક કરવા, પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાલ પુરસ્કાર, નદી અને પર્યાવરણ બચાવવાની કામગીરી કરનાર ઉત્તરાખંડની બસંતે દેવી, લોકલ આર્ટમાં યોગદાન આપનાર મણિપુરની બિનો દેવી તેમજ આદિવાસી નૃત્ય કલાને બચાવી રાખનાર મધ્ય પ્રદેશના અર્જૂનસિંહ સહિતની બાબતોનો ઉલ્લેખ કર્યો છે.
- વડાપ્રધાન મોદી દ્વારા 'મન કી બાત' કાર્યક્રમની શરુઆત 3 ઑક્ટોબર, 2014થી કરવામાં આવી હતી.