વડનગરમાં 1000 વર્ષ પહેલા આવેલ ભૂકંપના પુરાવા મળ્યા.

  • પુરાતત્વ વિભાગને વડનગરના અમરથોળ નજીક 14 મીટર ઊંડે જમીનમાંથી 1000 વર્ષ અગાઉ આવેલ ભયાનક ભૂકંપના અવશેષો મળ્યા છે. 
  • આ ભૂકંપન 1000 વર્ષ પહેલા આવ્યો હતો જેની તીવ્રતા લગભગ 6 થી 6.5 જેટલી હોવાનું મનાય છે. 
  • આ ભૂકંપ 10મી સદીમાં આવ્યો હોવાનું સંશોધકો માને છે. 
  • ઉત્તર ગુજરાતનો આ વિસ્તાર ખરેખર ભૂકંપ ઝોન (Seismic zone)માં સમાવેશ થતો નથી તેમ છતા પણ આટલો મોટો ભૂકંપ આવવો તે લગભગ આ પ્રકારની પ્રથમ ઘટના હતી. 
  • આ ભૂકંપ લગભગ પાંચમી થી દસમી સદી અથવા ગુજરાતના ઇતિહાસના ક્ષત્રપ પછીના સમયગાળામાં આવ્યો હશે તેવું મનાય છે. 
  • ઉલ્લેખનીય છે કે ભારતમાં ભૂકંપના ઝોન-5 (સૌથી વધુ જોખમ ધરાવતા ઝોન)માં કાશ્મીર ક્ષેત્ર, પશ્ચિમ અને સેન્ટ્રલ હિમાલય વિસ્તાર, ઉત્તર અને મધ્ય બિહાર, પૂર્વોત્તર ભારત ક્ષેત્ર, કચ્છનું રણ અને આંદામાન નિકોબાર દ્વીપ સમૂહનો સમાવેશ થાય છે.
vadnagar

Post a Comment

Previous Post Next Post