- થોડા દિવસ પહેલા પંજાબના ફિરોઝપુરમાં વડાપ્રધાન મોદીના કાફલાને 20 મિનિટ સુધી એક ફ્લાયઓવર પર રોકાવું પડ્યું તે બાબતે સુપ્રીમ કોર્ટ દ્વારા આ સમિતિ બનાવી છે.
- આ બાબતની સુનવણી દરમિયાન કોર્ટે એ વાત માની હતી કે આ બાબતની તપાસ રાજ્ય સરકાર અથવા કેન્દ્ર સરકાર બન્નેના બદલે એક નિષ્પક્ષ સમિતિ દ્વારા કરવામાં આવે તે જરુરી છે.
- સુપ્રીમ કોર્ટ દ્વારા આ માટે સુપ્રીમ કોર્ટના નિવૃત જજની અધ્યક્ષતામાં એક સમિતિ બનાવાઇ છે.
- આ સમિતિમાં નિવૃત જજ સિવાય ચંડીગઢના ડીજીપી, National Investigation Agency (NIA) ના આઇજી, પંજાબ-હરિયાણા હાઇકોર્ટના રજિસ્ટ્રાર જનરલ અને પંજાબ પોલીસના એડીશ્નલ ડીજીપી (સુરક્ષા)નો સમાવેશ થાય છે.