- સુપ્રીમ કોર્ટ દ્વારા અપાયેલ આ મહત્વપૂર્ણ ચૂકાદામાં સ્પષ્ટ કરાયું છે કે હિન્દુ પરિવારમાં વસીયતનામા વિના મૃત્યું પામેલ પિતાની સંપત્તિ પર પુત્રીઓનો પણ પુરેપુરો અધિકાર રહેશે.
- જો મૃત્યું પામનાર પિતાને પુત્ર ન હોય તેવા કિસ્સામાં મૃત્યું પામનાર પિતાની પુત્રીઓને તેના પિતરાઇ ભાઇઓ કરતા વધુ મહત્વ આપવામાં આવશે.
- આ સિવાય કોર્ટ દ્વારા જણાવાયું કે કોઇ મહિલાએ માતા પિતા તરફથી સંપત્તિ પ્રાપ્ત કરી હોય તેના મૃત્યું બાદ તે સંપત્તિ પર તેના માતા પિતાનો અધિકાર રહેશે તેમજ તેના પતિ તરફથી પ્રાપ્ત સંપત્તિ પર પતિના પરિવારનો અધિકાર રહેશે.
- કોર્ટ દ્વારા સ્પષ્ટ કરાયું છે કે સંપત્તિ વિવાદના અત્યાર સુધીના બધા કેસ પર આ નવો ચૂકાદો જ લાગૂ થશે જે વર્ષ 2020ના ચૂકાદાથી અલગ છે.