- Tata Medical & Diagnostics (TataMD) દ્વારા કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનની તપાસ કરી શકાય તેવી RT-PCR (real-time reverse transcription–polymerase chain reaction) કિટ વિકસાવવામાં આવી છે.
- આ કિટને Indian Council of Medical Research (ICMR) દ્વારા પણ મંજૂરી આપવામાં આવી છે.
- અત્યારે ઓમિક્રોનની ઓળખ માટે genome sequencing કરવામાં આવી રહ્યું છે જેમાં ઓમિક્રોનની ઓળખ માટે S Gene Target Failure (SGTF) પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે.
- આ પધ્ધતિમાં વ્યક્તિના સેમ્પલમાં S Gene ની ગેરહાજરી છે કે નહી તેના દ્વારા ઓમિક્રોનની ઓળખ કરવામાં આવે છે.