- ગુજરાત રાજ્ય સરકાર દ્વારા આગામી યોજાનાર વાઇબ્રન્ટ સમિટને રદ્દ કરવામાં આવી છે.
- ગુજરાતમાં કોરોનાના 4,000થી વધુ કેસ (સરકારી આંકડા મુજબ) આવતા જ આ નિર્ણય લેવાયો છે.
- આ નિર્ણયને લીધે રાજ્ય સરકારે ખર્ચેલ લગભગ 90 કરોડ રુપિયાનું નુકસાન થશે!
- આ નિર્ણય માટે રાજ્ય સરકાર દ્વારા PMO માં રજૂઆત કરવામાં આવી હતી જેને PMO દ્વારા આદેશ આપ્યા બાદ લાગૂ કરાયો છે.
- વાઇબ્રન્ટ સમિટ પહેલા પ્રિ-ઇવેન્ટ પાછળ રાજ્ય સરકારે લગભગ 40 કરોડ જેટલો ખર્ચ કર્યો હતો તેમજ મહેમાનો માટે હોટેલના રુમ, ભોજન ખર્ચ, રોડ-શો સહિતના ખર્ચ માટેના લગભગ 35 કરોડનું નુકસાન થશે.