- સંત રામાનુજાચાર્યની બેઠા ઘાટની આ પ્રતિમા તેલંગાણાના શમશાબાદમાં બનશે જેની ઊંચાઇ 216 ફૂટ છે.
- 'Statue of Equality' નામની આ પ્રતિમાનું અનાવરણ 5 ફેબ્રુઆરીના રોજ થશે જે વિશ્વની આ પ્રકારની બીજી સૌથી ઊંચી પ્રતિમા છે.
- બેઠા ઘાટની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા હાલ મ્યાનમારમાં આવેલ છે જે 256 ફૂટ ઊંચી ભગવાન બુદ્ધની પ્રતિમા છે.
- 45 એકરમાં બનેલ સંત રામાનુજાચાર્યની આ પ્રતિમા બનાવવાનો ખર્ચ રુ. 1,000 કરોડ થયો છે જેનું 5 ફેબ્રુઆરીના રોજ વડાપ્રધાન મોદી અનાવરણ કરશે અને ત્યારબાદ 13 ફેબ્રુઆરીના રોજ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અંદરના કક્ષમાં સંત રામાનુજાચાર્યની સેનાની પ્રતિમા તેમજ કક્ષનું અનાવરણ કરશે.