- મિશન ઇન્દ્રધનૂષ અથવા પોલિયો રસીકરણ અભિયાનનો ઉદેશ્ય ભારતમાં બાળકોને ઘાતક રોગોથી બચાવવાનો છે.
- આ અભિયાન હેઠળ આગામી દિવસોમાં 5 વર્ષથી નાની ઉંમરના લગભગ 15 કરોડ બાળકોનું રસીકરણ કરવામાં આવશે.
- આ અભિયાનમાં કેન્દ્ર સરકાર, રાજ્ય સરકારો, WHO, UNICEF, રોટરી ક્લબ અને અનેક NGO સામેલ છે.
27 ફેબ્રુઆરી: પોલિયો રાષ્ટ્રીય રસીકરણ અભિયાન અને પોલિયો રાષ્ટ્રીય રસીકરણ દિવસ 2022 (National Immunization Day - NID):
- આ દિવસે સમગ્ર દેશમાં 5 વર્ષથી નાના બાળકોને પોલિયો માટેની રસી આપવાનો કાર્યક્રમ શરુ થાય છે.
- ભારતમાં દર વર્ષે વાઇલ્ડ પોલિયો વાયરસ વિરુધ જનસંખ્યા પ્રતિરક્ષા અને પોલિયો મુક્ત સ્થિતિ બનાવવા માટે એક રાષ્ટ્રવ્યાપી NID અને બે ઉપ-રાષ્ટ્રીય રસીકરણ દિવસ (SNID) આયોજિત કરવામાં આવે છે.
- આ કાર્યક્રમ હેઠળ આ વર્ષે 36 રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોના 735 જિલ્લાઓમાં 15 કરોડથી વધુ બાળકોને આવરી લેવાનું લક્ષ્ય છે. - WHO દ્વારા ભારતને પોલિયો મુક્ત દેશ જાહેર કરાયો છે.
- ભારતમાં છેલ્લે 13 જાન્યુઆરી, 2011ના રોજ પોલિયો વાયરસનો અંતિમ કેસ નોંધાયો હતો.
- ઉલ્લેખનીય છે કે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા ગયા વર્ષે જ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવી હતી કે વર્ષ 2020માં કોરોના મહામારીને લીધે વિશ્વના 1.7 કરોડ બાળકો DTaP (Diphtheria-Tetanus-Pertussis) રસીથી વંચિત રહી ગયા હતા જેમાં ભારતના 30 લાખ બાળકો પણ સામેલ છે. - એક વર્ષ આ રસીકરણનું કામ અટકી પડતા આ પેઢીના બાળકો પર પોલિયો, મેનિન્જાઇટિસ અને ઓરી-અછબડા જેવા રોગોનું જોખમ વધી ગયું છે.
- DTP3 રસીકરણમાં ભારત 91%થી ઘટીને 85% પર પહોંચ્યું છે તે પણ આટલી વિશાળ વસ્તી ધરાવતા દેશ પર એક ગંભીર સમસ્યા છે.