- આ જાહેરાત વેટલેન્ડ દિવસ (2 ફેબ્રુઆરી)ના રોજ કરવામાં આવી છે.
- જામનગર જિલ્લાના ખિજડિયામાં લગભગ 6 ચો.કિ.મી. વિસ્તારમાં ખિજડિયાનો વેટલેન્ડ વિસ્તાર છે જે ખિજડિયા પક્ષી અભ્યારણ્ય તરીકે ઓળખાય છે.
- આ વિસ્તારમાં 300થી વધુ પ્રજાતિના 80,000 જેટલા પક્ષીઓ છે.
- ગુજરાતમાં હાલ નળ સરોવર, વઢવાણા વેટલેન્ડ (વડોદરા) તેમજ થોળ તળાવ (કલોલ) રામસર સાઇટમાં સામેલ છે.
- વર્ષ 1971માં ઇરાનના રામસર ખાતે પર્યાવરણની દૃષ્ટિએ અતિ મહત્વ ધરાવતા હોય તેવી આદ્રભૂમિને સંરક્ષણ માટે કરાર કરવામાં આવ્યા હતા જેના આધારે રામસર સાઇટની યાદી તૈયાર થાય છે.