એસ. શ્રીસંતે ક્રિકેટમાંથી નિવૃતિ જાહેર કરી.

  • તેણે ભારત તરફથી કુલ 90 મેચ રમી છે જેમાં તેણે 169 વિકેટ લીધી છે. 
  • 2007ના ટી 20 વર્લ્ડ કપ અને 2011માં ભારતીય ટીમનો વિજય થયો તેમાં તે સામેલ હતા. 
  • વર્ષ 2013માં IPL સ્પોટ ફિક્સિંગ પ્રકરણમાં તેના પર આઠ વર્ષ માટે પ્રતિબંધ લગાવાયો હતો. 
  • રાજસ્થાન રોયલ્સનું પ્રતિનિધિત્વ કરતી વખતે  અન્ય બે સાથીઓ સાથે તેની ધરપકડ કરવામાં આવી હતી જેના પછી BCCI દ્વારા તેના પર આજીવન પ્રતિબંધ લગાવાયો હતો. 
  • વર્ષ 2015માં દિલ્લીના એક ન્યાયાલય દ્વારા તેના પર લગાવાયેલા તમામ આરોપોને નાબૂદ કરવામાં આવ્યા હતા તેના પછી વર્ષ 2017માં કેરળ હાઇકોર્ટ દ્વારા તેના પર ફરીથી પ્રતિબંધ લગાવાયા હતા. 
  • વર્ષ 2019માં સુપ્રીમ કોર્ટ દ્વારા તેના પર લગાવાયેલ આજીવન પ્રતિબંધને હટાવી પ્રતિબંધના સમયને ઘટાડવાનો ચૂકાદો અપાયો હતો જે મુજબ વર્ષ 2020માં તેના પરના પ્રતિબંધો હટાવાયા હતા.
S. Srisanth

Post a Comment

Previous Post Next Post