- આ સંમ્મેલન વિશ્વ ટીબી દિવસ (24 March) ના દિવસે શરુ થયું છે.
- ભારત દ્વારા વર્ષ 2030ને બદલે પાંચ વર્ષ પહેલા (વર્ષ 2025 સુધીમાં) ટીબી બીમારીને ખતમ કરવાનું લક્ષ્ય રખાયું છે.
- વર્ષ 1882માં 24 માર્ચના રોજ આ બીમારીના જંતુ જર્મન વિજ્ઞાની ડૉ. રોબર્ટ કોચે શોધ્યા હતા જેને લીધે 24 માર્ચને વિશ્વ ટીબી દિવસ તરીકે મનાવાય છે.
- ટીબી બીમારીનું પુરુ નામ Tuberculosis છે.
- ભારતમાં ટીબી ને લીધે દર વર્ષે લગભગ બે લાખથી વધુ લોકો મૃત્યું પામે છે.
- વર્ષ 2022ની આ દિવસની થીમ Invest to End TB. Save Lives' રાખવામાં આવી છે.
