- સુપ્રીમ કોર્ટ દ્વારા આ ઐતિહાસિક ચુકાદો અપાયા બાદ અંગ્રેજો બનાવેલ આ 162 વર્ષ જૂના કાયદા પર રોક લાગી ગઇ છે અને આ કાયદાની સમીક્ષા કરવા માટે ચૂકાદો અપાયો છે.
- આ ચૂકાદો ચીફ જસ્ટિસ એન. વી. રમન્ના, જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ હિમા કોહલીની બેન્ચ દ્વારા અપાયો છે.
- આ ચૂકાદા બાદ દેશમાં હવેથી રાજદ્રોહ કાયદા હેઠળ કોઇ કેસ નહી નોંધી શકાય, નીચલી અદાલતોમાં ચાલતી કાર્યવાહી પર પણ સંપૂર્ણ લાગશે તેમજ જે પેન્ડિંગ કેસ હોય તેમાં પણ જામીન આપવામાં આવશે.
- ભારતમાં આ કાયદા હેઠળ જે કેસ નોંધાયા છે તેમાંથી 96% કેસ સરકાર અને નેતાઓની ટીકાના છે!
- ગુજરાતમાં છેલ્લા 10 વર્ષમાં આ કાયદા હેઠળ કુલ 17 કેસ નોંધાયા છે.
- ભારતમાં વર્ષ 2010થી અત્યાર સુધીમાં કુલ 13,306 લોકો સામે રાજદ્રોહના 867 કેસ થયા છે તેમાંથી ફક્ત 13ને જ સજા થઇ શકી છે એટલે કે તેનો Conviction rate બહુ જ નીચો છે!
- આ કાયદો ભારતીય દંડ સંહિતાની કલમ 124-A માં આપેલો છે જેને 1951માં પંજાબ હાઇકોર્ટ તેમજ 1959માં અલાહાબાદ હાઇકોર્ટ દ્વારા ગેરબંધારણીય ઠેરવાયો હતો.
- ઉલ્લેખનીય છે કે અંગ્રેજો 1947માં ભારત છોડીને ગયા તે જ વર્ષે બ્રિટનમાં આ કાયદા હેઠળ છેલ્લો કેસ નોંધાયો હતો તેમજ વર્ષ 2009માં બ્રિટને આ કાયદાને ખતમ કર્યો હતો.