- આ ઘોષણા નાગરિક ઉડ્ડ્યન મંત્રાલય દ્વારા કરવામાં આવી છે જેનો ઉદેશ્ય વર્ષ 2030 સુધીમાં ભારતને વાયુ ખેલ ધરાવતા મુખ્ય દેશોમાં સામેલ કરવાનો છે.
- આ નીતિ હેઠળ એરોબેટિક્સ, બલૂનિંગ, ગ્લાઇડિંગ, પેરાશૂટિંગ, પાવર્ડ એરક્રાફ્ટ અને રોટરક્રાફ્ટ સહિત 11 હવાઇ ખેલોને પ્રોત્સાહન અપાશે.
- આ ક્ષેત્ર દ્વારા લગભગ 1 લાખ લોકોને સીધી અથવા આડકતરી રોજગારી પ્રાપ્ત થશે તેવી સંભાવના છે.
- આ તમામ બાબતોની દેખરેખ માટે નાગરિક ઉડ્ડયન મંત્રાલય દ્વારા Air Sports Federation of India નું પણ ગઠન કરવામાં આવ્યું છે.