- તાજેતરમાં જ અલ કાયદા દ્વારા ભારતમાં વિવિધ સ્થાનો પર આત્મઘાતી હુમલો કરવાની ધમકીને પગલે સરકાર દ્વારા રથયાત્રાની સુરક્ષાને વધુ સઘન બનાવાઇ છે.
- આ પગલાઓમાં પ્રથમવાર રથયાત્રામાં છ ડ્રોનની સાથે પેરાજમ્પર સાથેનું એરિયલ સર્વેલન્સ પણ ગોઠવાયું છે.
- આ સિવાય સેન્ટ્રલ અને સ્ટેટ આઇબીની માહિતીને પગલે રથયાત્રાન રૂટ પર પણ સતત વૉચ રાખી હિસ્ટ્રીશીટર્સ સામે અટકાયતી પગલા લેવાની તૈયારીઓ પણ શરુ કરવામાં આવી છે.
- ચાલુ વર્ષની રથયાત્રામાં 14મી જૂનથી જળયાત્રાનો વરઘોડો નીકળશે તેમજ 1 જુલાઇથી જગન્નાથજીની રથયાત્રા નીકળશે.