- મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા દેશના સૌપ્રથમ અને વિશ્વના ત્રીજા ફોસીલ પાર્ક રૈયોલી ખાતે ડાયનાસોર મ્યુઝિયમ ફેઝ-રનું લોકાર્પણ કરવામાં આવ્યું.
- આ મ્યુઝિયમ મહીસાગર જિલ્લાના બાલાસિનોરથી 11 કિલોમીટરના અંતરે આવેલ રૈયોલી ખાતે તૈયાર થયેલ છે.
- 16 કરોડ 50 લાખ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલ ડાયનાસોર મ્યુઝિયમ ફેઝ-રમાં અદ્યતન ટેકનોલોજીના આધારે ડાયનાસોરના ઉદ્દભવ અને નાશ સુધીના ઇતિહાસની જાણકારી મળી રહેશે.
- ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા રૈયોલી-બાલાસિનોર ખાતે ભારત સરકારના પ્રવાસન વિભાગની 3 કરોડ 45 લાખની અને રાજય સરકારની ગ્રાન્ટ મળી કુલ પાંચ કરોડ 71 લાખના ખર્ચે વિવિધ સુવિધાઓ સાથે ટુરિસ્ટ ઇન્ફોર્મેટીક સેન્ટર બનાવવામાં આવ્યું છે.
- જ્યારે ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા અગાઉ તૈયાર કરવામાં આવેલ ઇન્ટરપ્રીટેશન સેન્ટરની અંદર ડાયનાસોર માટેના મ્યુઝિયમ ફેઝ-૧ રાજય સરકારની સાત કરોડની ગ્રાંટમાંથી તૈયાર કરવામાં આવ્યું હતું.