- વિદેશથી પરત ફરેલા વ્યક્તિને લક્ષણો દેખાતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
- તેના સેમ્પલ એકત્ર કરીને નેશનલ ઈન્સ્ટીટ્યુટ ઓફ વાઈરોલોજીમાં પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા તેમાં આ વાયરસની પુષ્ટિ કરવામાં આવી.
- ભારત સરકારે તમામ રાજ્યોને પત્ર લખીને મંકીપોક્સ વિશે ચેતવણી આપી હતી અને જરૂરી માર્ગદર્શિકા જાહેર કરેલ છે.
- આ રોગના લક્ષણો દેખાવામાં 6 થી 13 દિવસનો સમય લાગે છે. જો કે આ વાયરસ શીતળા જેટલો ગંભીર નથી, પરંતુ હજુ સુધી તેની કોઈ સારવાર શોધાઈ નથી.
- અત્યાર સુધીમાં 63 દેશોમાં મંકીપોક્સના 9,200 કેસ નોંધાયા છે.