- મહારાષ્ટ્રની નવી બનેલ શિંદે સરકાર દ્વારા ઔરંગાબાદનું નામ બદલીને 'સંભાજીનગર' તેમજ ઉસ્માનાબાદનું નામ બદલીને 'ધારાશિવ' કરાયું છે.
- સાથોસાથ નવી મુંબઇ એરપોર્ટ નામ સાથે ડી. બી. પાટિલનું નામ જોડવાને પણ કેબિનેટ દ્વારા મંજૂરી અપાઇ છે.
- જો કે આ નિર્ણય ઉદ્ધવ ઠાકરે સરકાર દ્વારા પોતાની કેબિનેટની છેલ્લી બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો પરંતુ કાયદાકીય ગુંચવણને પગલે તે બેઠકમાં લેવાયેલ નિર્ણય ગેરકાયદે ઠરતા બન્ને શહેર અને એરપોર્ટને ફરીથી જૂના નામ અપાયા હતા.