- સાબરકાંઠા જિલ્લામાં આવેલ પોળોના જંગલમાં વહીવટી તંત્ર દ્વારા આ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
- પર્યાવરણ અને વન્ય જીવનને થતા નુકસાનને અટકાવવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
- તેના ભંગ બદલ કડક દંડ અને સજાની જોગવાઇ કરવામાં આવી છે.
- પોળો એવો વનપ્રદેશ છે કે જેમાં 14 જેટલા પૌરાણિક જૈન મંદિર અને શારણેશ્વર મહાદેવનું મંદિર આવે છે.
- પ્રવાસન નિગમ દ્વારા અહીંયા ઇકો ટુરિઝમ સેન્ટર ખોલવામાં આવ્યું છે.