- વિદ્યુત મંત્રાલય દ્વારા પાવર ફાઉન્ડેશન ઓફ ઈન્ડિયા વિજ્ઞાન ભારતી (VIBHA) સાથે મળીને હાલમાં LiFE (લાઇફ સ્ટાઇલ ફોર એનવાયરોનમેન્ટ) વિષય સાથે એક અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.
- આ અભિયાન હેઠળ અગ્નિ તત્વની વિશે જાગૃતિ લાવવા માટે શૈક્ષણિક સંસ્થાઓ, સમુદાયો અને સંબંધિત સંસ્થાઓને આવરી લઇ પરિષદો, પરિસંવાદો, કાર્યક્રમો અને પ્રદર્શનો કરવા માટે 'અગ્નિ તત્વ અભિયાન' સેમિનાર શરૂ કરવામાં આવ્યો છે.
- 'અગ્નિ તત્વ અભિયાન - એનર્જી ફોર લાઈફ' 21 સપ્ટેમ્બર 2022ના રોજ નવી દિલ્હીમાં કેન્દ્રીય ઉર્જા અને નવીનીકરણીય ઉર્જા મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું.
- આ અભિયાનના ભાગરૂપે દેશભરમાં શ્રેણીબદ્ધ સેમિનાર યોજવાનું આયોજન છે.
- પાવર ફાઉન્ડેશન ઓફ ઈન્ડિયા એ ભારત સરકારના વિદ્યુત મંત્રાલયના નેજા હેઠળ રચાયેલી અને અગ્રણી CPSE દ્વારા સમર્થિત સોસાયટી છે.