- પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય દ્વારા કુનો નેશનલ પાર્ક અને મધ્યપ્રદેશના અન્ય સંરક્ષિત વિસ્તારોમાં ચિતા પરિયોજના પર દેખરેખ રાખવા નવ સભ્યોની આ સમિતિની રચના કરવામાં આવી.
- જેમાં મધ્યપ્રદેશ વન વિભાગના અગ્ર સચિવ, રાજ્યના પ્રવાસન વિભાગના અગ્ર સચિવ, રાષ્ટ્રીય વાઘ સંરક્ષણ પ્રાધિકરણના મહાનિરીક્ષક ડૉ. અમિત મલિક અને દેહરાદૂનની વન્યજીવ સંસ્થાના વૈજ્ઞાનિક ડૉ. વિષ્ણુપ્રિયાનો સમાવેશ થાય છે.
- આ સમિતિ બે વર્ષ માટે કામ કરશે અને દર મહિને મળશે.
- આ સમિતિને સંરક્ષિત વિસ્તારોમાં ચિત્તાઓના સ્વાસ્થ્ય પર નજર રાખવાનું કામ સોંપવામાં આવ્યું છે.