- 30 સપ્ટેમ્બરનાં રોજ બુર્કિના ફાસોની સેનાએ બળવો કર્યો અને રાજ્યના પ્રસારણકર્તા પર નિયંત્રણ મેળવ્યું.
- અગાઉ સૈન્યએ જાન્યુઆરીના છેલ્લા અઠવાડિયે એક બળવા દ્વારા રાષ્ટ્રપતિ રોચ કાબોરને હટાવ્યા હતા ત્યારબાદ દામિબાએ નવા પ્રમુખ તરીકે કાર્યભાર સંભાળ્યો હતો.
- બળવા પાછળનું મુખ્ય કારણ ઇસ્લામિક ઉગ્રવાદ છે જે મુજબ રાષ્ટ્રપતિ દામિબા પર ઇસ્લામિક ઉગ્રવાદીઓની વધતી હિંસાનો સામનો કરવામાં નિષ્ફળ જવાનો આરોપ છે.
- લેફ્ટનન્ટ કર્નલ પોલ હેનરી સેન્ડોગો દામિબાએ રાષ્ટ્રપતિ પદ પરથી રાજીનામું આપ્યું છે
- આ રાજીનામું સ્વ-ઘોષિત સૈન્ય નેતા કેપ્ટન ઈબ્રાહિમ ત્રાઓરને સુપ્રત કરવામાં આવ્યું છે.