- આ ઉજવણી ભારતીય વાયુસેનાના 90 વર્ષ પૂર્ણ થયાના અવસર પર કરવામાં આવી હતી.
- ઇન્ડિયન એરફોર્સની સ્થાપના 08 ઑક્ટોબર, 1932ના રોજ કરવામાં આવી હતી.
- એરફોર્સના 90 વર્ષના ઇતિહાસમાં પ્રથમવાર આ ઉજવણી દિલ્હી બહાર ચંદીગઢના સુખના લેક ખાતે કરવામાં આવી હતી.
- આ ઉજવણીમાં લગભગ 80 મિલિટરી એરક્રાફ્ટ અને હેલિકોપ્ટરે ભાગ લીધો હતો.
- વાયુસેનાના આ 90માં સ્થાપના દિવસે નવી ઓપરેશનલ બ્રાન્ચની પણ જાહેરાત કરવામાં આવી જે વાયુસેનાની ચોથી બ્રાન્ચ છે.
- આ બ્રાન્ચમાં અગ્નિવીર ભરતીના 3,000 કેડેટ્સને સમાવવામાં આવશે તેમજ તેને અગ્નિવીર વાયુ નામ અપાશે.