- ન્યુક્લિયર સબમરીન (SSMN) INS અરિહંત દ્વારા સબમરીન લોંચ્ડ બેલેસ્ટિક મિસાઈલ (SLBM) નું સફળ પ્રક્ષેપણ કરવામાં આવ્યું.
- જે ભારતની બીજી સ્ટ્રાઈક પરમાણુ ક્ષમતા દર્શાવે છે.
- INS અરિહંત હાલમાં 750 કિમીની રેન્જ સાથે K-15 SLBMથી સજ્જ છે.
- મિસાઇલનું પરીક્ષણ બંગાળની ખાડીમાંથી કરવામાં આવ્યું.
- કોઈ ન્યુકિલયર સબમરીનમાંથી બેલેસ્ટિક મિસાઇલનું પરીક્ષણ ભારતમાં પ્રથમવાર કરવામાં આવ્યું છે.
- ઉલ્લેખનીય છે કે ન્યુકિલયર સબમરીન બાબતમાં ભારત વિશ્વમાં છઠ્ઠા ક્રમે છે.