- 2022 માટે નોબેલ શાંતિ પુરસ્કાર બેલારુસના માનવાધિકાર એક્તિવિસ્ટ એલેસ બિયાલિઆત્સ્કીને, રશિયન માનવાધિકાર સંગઠન મેમોરિયલ અને યુક્રેનિયન માનવ અધિકાર સંસ્થા સેન્ટર ફોર સિવિલ લિબર્ટીઝને એનાયત કરવામાં આવ્યો.
- 25 સપ્ટેમ્બર, 1962 ના રોજ, રશિયાના કારેલિયામાં જન્મેલા, એલેસ બિલ્યાત્સ્કી પ્રથમ વખત 1980 ના દાયકામાં બેલારુસની લોકશાહી ચળવળના અગ્રણી નેતા બન્યા હતા.
- તેમણે પોતાનું જીવન લોકશાહી અને શાંતિપૂર્ણ વિકાસ માટે સમર્પિત કર્યું છે.
- બેલારુસના એલેક્ઝાન્ડર લુકાશેન્કોના વિરોધ વચ્ચે એલેસ બિયાલિઆત્સ્કીને જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા.
- હાલમાં 2020 થી ટ્રાયલ વગર કસ્ટડીમાં છે.