કથક નૃત્યાંગના ઉમા શર્માને 'સુમિત્રા ચરત રામ એવોર્ડ' થી સન્માનિત કરવામાં આવ્યા.

  • તેઓને ભારતીય શાસ્ત્રીય સંગીત અને નૃત્યના ક્ષેત્રમાં તેમના નોંધપાત્ર યોગદાન બદલ આ પ્રતિષ્ઠિત એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે.
  • ભારત સરકાર દ્વારા તેઓને દેશની સાંસ્કૃતિક પરંપરામાં તેમના અનન્ય યોગદાન માટે વર્ષ 1973 માં પદ્મશ્રી અને વર્ષ 2001માં પદ્મ ભૂષણથી નવાજવામાં આવ્યા છે.
  • ભારતીય શાસ્ત્રીય સંગીત અને નૃત્ય ક્ષેત્રે કાયમી યોગદાન આપનાર પ્રતિષ્ઠિત કલાકારોને સન્માનિત કરવા માટે છેલ્લા 11 વર્ષથી લાઈફ ટાઈમ અચીવમેન્ટ માટે ‘સુમિત્રા ચરત રામ એવોર્ડ’ આપવામાં આવે છે.
  • ફેબ્રુઆરી 2011 માં પ્રથમ 'સુમિત્રા ચરત રામ એવોર્ડ ફોર લાઈફ ટાઈમ અચીવમેન્ટ' ની સ્થાપના કરવામાં આવી હતી. જેમાં પ્રથમ એવોર્ડ પં. બિરજુ મહારાજ, કથ્થક નૃત્યના ગાયન અને ત્યારબાદ શ્રીમતી. કિશોરી અમોનકર (હિન્દુસ્તાની ગાયક સંગીત), શ્રી માયાધર રાઉત (ઓડિસી નૃત્ય), શ્રીમતી. કુમુદિની લાખિયા (કથ્થક નૃત્ય), પં. જસરાજ (હિન્દુસ્તાની વોકલ મ્યુઝિક), પં. હરિપ્રસાદ ચૌરસિયા (હિન્દુસ્તાની વાદ્ય સંગીત, વાંસળી), શ્રીમતી. ગિરિજા દેવી (હિન્દુસ્તાની ક્લાસિકલ મ્યુઝિક, વોકલ), ઉસ્તાદ અમજદ અલી ખાન (હિંદુસ્તાની ક્લાસિકલ મ્યુઝિક, સરોદ) અને છેલ્લે ડૉ. સોનલ માનસિંહ (ભારતીય ક્લાસિકલ ડાન્સ ગુરુ, મોટિવેશનલ સ્પીકર)ને એનાયત કરવામાં આવ્યો હતો.
  • સુમિત્રા ચરત રામ એક જાણીતા ભારતીય કળા આશ્રયદાતા, પ્રભાવશાળી નૃત્યકાર હતા 
  • તેઓએ વર્ષ 1952માં શ્રીરામ ભારતીય કલા કેન્દ્ર (SBKK)ની સ્થાપના કરેલ હતી.
  • તેઓએ પર્ફોર્મિંગ આર્ટ્સ ખાસ કરીને કથકના પુનરુત્થાનમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી જેના માટે ભારત સરકાર દ્વારા વર્ષ 1966માં તેણીને પદ્મશ્રી એવોર્ડ આપવામાં આવ્યો હતો.
Kathak exponent Uma Sharma received Sumitra Charat Ram Award

Post a Comment

Previous Post Next Post