- તેઓને 'પ્રિયદર્શી' નામથી ઓળખવામાં આવતા હતા.
- તેઓ ગુજરાતી સમાચારપત્ર ગુજરાત સમાચારમાં છ દાયકાથી 'હુ શાણી અને શકરાભાઇ' નામથી હાસ્ય કોલમ લખતા હતા.
- હાસ્ય લેખક સિવાય તેઓ વિવેચક, સંપાદક અને અનુવાદક પણ હતા.
- તેઓએ 1958માં 'ગુજરાતી નવલકથા સાહિત્યમાં પારસીઓનો ફાળો' પર પીએચડી કર્યું હતું.
- વર્ષ 1961 થી તેઓ બુદ્ધિપ્રકાશના તંત્રી તેમજ 1947થી ગુજરાત સાહિત્ય સભાના મંત્રી રહ્યા હતા.
- તેઓએ 'હું, શાણી અને શકરાભાઇ', 'સૂડી સોપારી', 'રવિવારની સવાર', 'હું, રાધા અને રાયજી', 'આપણે બધા', 'વિનોદાયન', 'પેથાભાઇ પુરાણ' વગેરે જેવા સાહિત્યોનું સર્જન કર્યું હતું.
- તેઓએ પોતાના ધર્મપત્ની કુસુમબહેન વિશે 'કુસુમાખ્યાન' પુસ્તક લખ્યું હતું.
- આ સિવાય તેઓએ હાસ્યરસિક એકાંકી 'નાટ્યસુમો', 'પ્રિયદર્શીના પ્રહસનો' વગેરે લખ્યા હતા.
- અનુવાદ અને સંપાદનગ્રંથોમાં 'અમેરિકન સમાજ', 'હેનરી જેમ્સની વાર્તાઓ', 'અર્વાચીન ગુજરાતનું રેખાદર્શન', 'હિન્દુસ્તાન મધ્યેનું એક ઝૂંપડું' વગેરે ઉલ્લેખનીય છે.
- વર્ષ 1972માં તેઓને કુમાર ચંદ્રક એનાયત કરાયો હતો.