- કેન્દ્ર સરકાર દ્વારા "નેશનલ પ્રોગ્રામ ફોર સિવિલ સર્વિસીઝ કેપેસિટી બિલ્ડીંગ (NPCSCB)" અથવા "મિશન કર્મયોગી" હેઠળ સંસ્થાકીય માળખાના ભાગ રૂપે "કેબિનેટ સચિવાલય કોઓર્ડિનેશન યુનિટ CSCU" ની સ્થાપનાને મંજૂરી આપવામાં આવી છે.
- આ સમિતિના અધ્યક્ષ તરીકે કેબિનેટ સચિવ રાજીવ ગૌબાની નિયુક્તિ કરવામાં આવી છે.
- આ સમિતિમાં અધ્યક્ષ અને વડા પ્રધાન કાર્યાલયના એક વરિષ્ઠ અધિકારી અને સાત સચિવો સહિત 12 સભ્યો રહેશે.
- આ સમિતિ કર્મયોગી કાર્યક્રમના અમલીકરણની દેખરેખ કરશે, જે સરકારી કર્મચારીઓને તાલીમ આપવા માટે કેન્દ્રનું મહત્વાકાંક્ષી મિશન છે.
- મિશન કર્મયોગીનો ઉદ્દેશ્ય દેશની પ્રાથમિકતાઓની સહિયારી સમજ સાથે "ભારતીય નૈતિકતામાં મૂળ" ધરાવતી સક્ષમ સિવિલ સર્વિસ બનાવવાનો અને અસરકારક અને કાર્યક્ષમ જાહેર સેવા વિતરણ માટે સુમેળમાં કામ કરવાનો છે.